બિન જામીની ગુના બાબતમાં જામીન કયારે લઇ શકાય
(૧) (બિન જામીની ગુનાના આરોપીને અથવા જેણે એવો ગુનો કર્યોં નો શક હોય એવી કોઇ વ્યકિતને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી વગર વોરંટે પકડે અથવા અટકમાં રાખે અથવા હાઇકોર્ટ અથવા સેશન્સ કોર્ટ સિવાયની કોઇ કોર્ટમાં હાજર થાય અથવા તેને રજુ કરવામાં આવે ત્યારે તેને જામીન ઉપર છોડી શકાશે પણ (ક) તે મોતની અથવા જન્મટીપની સજાને પાત્ર ગુના માટે દોષિત હોવાનુ માનવાને વાજબી કારણો હોય તેને એ પ્રમાણે છોડી શકાશે
નહીં (ખ) એવો ગુનો પોલીસ અધિકારીનો ગુનો હોય અને તેને અગાઉ મોતની જન્મટીપની કે સાત વષૅ સુધીની કે તેથી વધુ કેદની સજા માટે દોષિત ઠરાવવામાં આવી હોય અથવા તેને અગાઉ બે અથવા વધુ પ્રસંગોએ બિન જામીની અને પોલીસ અધિકારના ગુના કે જે ત્રણ વર્ષ અથવા તો વધુ પરંતુ સાત વર્ષથી ઓછુ ના હોય છોડી મુકી શકાશે નહી
પરંતુ કોર્ટ એવો આદેશ કરી શકશે કે ખંડ (૧) અથવા ખંડ (૨)માં ઉલ્લેખ કરેલ વ્યકિત સોળ વર્ષથી ઓછી વયની હોય અથવા સ્ત્રી હોય અથવા બિમાર કે અશકત હોય તો તેને જામીન ઉપર છોડવી
વધુમાં ખંડ (૨)માં ઉલ્લેખેલ વ્યકિતને બીજા કોઇ પણ ખાસ કારણસર જામીન ઉપર છોડવાનું વાજબી અને યોગ્ય છે એવી પોતાને ખાતરી થાય તો કોર્ટ તેમ કરવાનો પણ આદેશ કરી શકશે
વળી પોલીસ તપાસ દરમ્યાન સાક્ષીઓ આરોપી ઓળખી બતાવે તે માટે તેની જરૂર પડશે તેટલી જ હકીકત જો તે અન્યથા જામીન ઉપર છોડવાને હકદાર હોય અને કોર્ટ પોતાને આદેશ આપે તે આદેશ પોતે પાળશે એવી બાંયધરી આપે તો જામીન ઉપર છોડવાની ના પાડવા માટે પુરતુ કારણ ગણાશે નહીં
વધુમાં જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ વ્યકિત જેમની પર જો આરોપિત ગુનો તેમના દ્વારા કરવામાં આવ્યો હોય તેમાં મૃત્યુદંડ
આજીવન કેદ અથવા સાત વર્ષની કેદની સજા અથવા વધારે શિક્ષાપાત્ર હોય ત્યારે આ પેટા કલમ હેઠળ અદાલત દ્રારા તેમને પબ્લિક
પ્રોસૉકયુટરને સાંભળવાની તક આપ્યા સિવાય જામીન પર છોડવામાં નહિ આવે
(૨) યથાપ્રસંગ કોઇ પોલીસ તપાસ તપાસ કે ઇન્સાફી કાર્યવાહીના કોઇ તબકકે એવા અધિકારને કે કોર્ટને એમ જણાય કે આરોપીએ બિન જામીની ગુનો કરેલ હોવાનુ માનવાનુ વાજબી કારણ નથી પરંતુ તેના દોષ અંગે વધારે તપાસ કરવા માટે પુરતા કારણો છે (તો કલમ ૪૪૬-ક ની જોગવાઇઓને આધીન અને એવી તપાસ થતા સુધી આરોપીને જામીન ઉપર) અથવા એવા અધિકારો કે કોર્ટની વિવેકબુધ્ધિ અનુસાર આ અધિનિયમમાં હવે પછી ઠરાવ્યા પ્રમાણે હાજર રહેવા માટે તે જામીન વિનાનો મુચરકો આપે એટલે તેને છોડી મુકવો જોઇશે (૩) સાત વરસ કે તેથી વધુ મુદતની કંદની શિક્ષાને પાત્ર ગુનાનો અથવા ભારતના ફોજદારી અધિનિયમના પ્રકરણ ૬ પ્રકરણ ૧૬ કે પ્રકરણ ૧૭ હેઠળનો ગુનો અથવા એવા કોઇ ગુનાના દુપ્રેરણનો જેની ઉપર શક હોય તે કોઇ વ્યકિતને પેટા કલમ (૧) હેઠળ જામીન ઉપર
છોડવામાં આવે (એ) આ પ્રકરણ હેઠળ લખી આપવામાં આવેલા બોન્ડ અનુસાર એવી વ્યકિત હાજરી આપશે તેમ નિશ્ર્ચિત કરવા સારૂ
(બી) એવી વ્યકિત તેના પર જેનો આરોપ મુકવામાં આવ્યો છે અથવા જે કાર્યો હોવા માટે શકદાર છે તેવો જ બીજો ગુનો કરશે નહિ તે નિશ્ચિત કરવા સારૂ અને
(સી) એવી વ્યકિતએ પુરાવા સાથે ચેડા ન કરવા અને કેસની હકીકતોની જાણકારી ધરાવતી કોઇ વ્યકિત સાધી અથવા આડકતરી રીતે કોઇ પ્રલોભન ધમકી વચન આપવુ જોઇએ નહિ જેથી કરીને તે ન્યાયાલય અથવા કોઇ પોલીસ અધિકારી સમક્ષ એવી હકીકતો જાહેર કરતી અટકે અને પોતાને જરૂરી લાગે તેવી ન્યાયના હિતમાં તેવી બીજી શરતો પણ લાદી શકશે (૪) પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળ કોઇ વ્યકિતને જામીન ઉપર છોડનાર અધિકારીએ કે કોર્ટ પોતાના એમ કરાવાના કારણો અથવા ખાસ કારણોની લેખિત નોંધ કરવી જોઇશે
(૫) પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળ કોઇ વ્યકિતને જામીન ઉપર છોડનાર કોઇ કોટે પોતે તેમ કરવુ જરૂરી ગણે તો તે વ્યકિતને પકડીને કસ્ટડીમાં રાખવા મોકલી આપવાનો આદેશ આપી શકશે
(૬) મેજિસ્ટ્રેટે ઇન્સાફી કાર્યવાહી કરવાની હોય તેવા કોઇ કેસમાં બિન જામીન ગુનાના આરોપી સામેની ઇન્સાફી કાર્યવાહી તે કેસમાં પુરાવો લેવા માટે નકકી થયેલી પ્રથમ તારીખથી સાઠ દિવસની મુદતની અંદર પુરી ન થાય અને તે આરોપી સદરહુ સમગ્ર મુદત દરમ્યાન કસ્ટડીમાં રહેલ હોય અને લેખિત નોંધ કરેલા કારણોસર મેજિસ્ટ્રેટ અન્યથા આદેશ ન આપે તો મેજિસ્ટ્રેટ તે સતોષ થાય તેવા જામીન ઉપર તે આરોપીને છોડવો જોઇશે
(૭) બિન જામીની ગુનાના આરોપી સામેની ઇન્સાફી કાર્યવાહી પુરી થયા પછી અને ફેંસલો આપવામાં આવે તે પહેલા કોઇ પણ વખતે કોર્ટને અભિપ્રાય એવો થાય કે આરોપી એવા ગુના માટે દોષિત હોવાનું માનવાને વાજબી કારણો છે તો તેણે આરોપી જો કસ્ટડીમાં હોય તો ફેંસલો અપાતો સાંભળવા હાજર રહેવા માટે તે જામીન વિનાનો મુચરો આપે તો તેને છોડી મુકો જોઇશે